અધ્યાય નવમો
જ્ઞાનનો સાર
શ્રી ભગવાન બોલ્યા : તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ; કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. ૧/૯ શ્રેષ્ઠ વિદ્યા, પરમસાર, આ છે પવિત્ર ઉત્તમ; અનુભવાય પ્રત્યક્ષ, સુકારે, ધર્મ્ય અક્ષય . ૨/૯ જે મનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહિ; તે ફરે મૃત્યુ સંસારે, મને એ પામતા નહિ. ૩/૯ અવ્યક્ત રૂપ હું થી જ ફેલાયું સર્વ આ જગત; હું - માં રહ્યા બધા ભૂતો, હું એ માહી રહ્યો નથી ૪/૯ નથીએ કો હું માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી; ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત સર્જક રૂપ હું. ૫/૯ સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે; તેમ સૌ ભૂત મારામાં રહ્યા છે, એમ જાણજે. ૬/૯ કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે; આરંભ કલ્પનો થાંતા સરજુ એ સર્વને ફરી. ૭/૯ નિજ પ્રકૃતિ આધારે સરજુ છું હું ફરી ફરી; સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ . ૮/૯ પણ એ કોઈએ કર્મ મુજને બાંધતા નથી ; કાં જે રહ્યો ઉદાસી શો કર્મે આસક્તિહીન હું. ૯/૯ પ્રકૃતિ પ્રસવે શ્રુષ્ટિ મારી અધ્યક્ષતા વડે; એના કારથી થાય જગતના પરિવર્તનો . ૧૦/૯ અવજાણે મને મૂઢો માનવી-દેહને વિષે ; ન જાણતા પરમભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧/૯ વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધીના; રાક્ષસી આસુરી એઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨/૯ મહાત્માઓ મને જાની ભૂતોનો આદિ અવ્યય, અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩/૯ કીર્તિ મારી સદા ગાતા, યાત્નવાન વ્રતે દ્રઢ ; ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી. ૧૪/૯ જ્ઞાનયગ્નેય કો ભક્તો સર્વવ્યાપી મને ભજે; એક્ભાવે, પૃથગભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫/૯ હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ; મંત્ર હું, ધૃત હું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ. ૧૬/૯ હુંજ આ જગનો ધાતા, પિતા,માતા,પિતામહ; જ્ઞેય પવિત્ર ઓમકાર, ઋગ,યજુર,સામવેદ હું. ૧૭/૯ પ્રભુ, ભર્તા , સુહ્રદ, સાક્ષી નિવાસ શરણું ગતિ; ઉત્પત્તિ પ્રલય, સ્થાન, નિધાન બીજ અવ્યય. ૧૮/૯ | તપુ હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું; અમૃત હું, હું છું મૃત્યુ, સત્ ને અસતેય હું. ૧૯/૯ પી સોમ નિષ્પાપ થઇ ત્રિવેદી યજ્ઞો વડે સ્વર્ગ્નીવાસ યાચે; ને મેળવી પુણ્ય સુરેન્દ્ર્લોક ત્યાં દેવાના વૈભવ દિવ્ય માણે ૨૦/૯ એ ભોગવી સ્વર્ગ વિશાલ એવું પુણ્યો ખુટયે મર્ત્ય વિષે પ્રવેશે; સકામ એ વૈદિક કર્માંમાર્ગી આ રીત ફેરા ભાવના કરે છે. ૨૧/૯ અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના, તે નીત્યયુક્ત ભક્તોના યોગક્ષેમ ચલાવું હું. ૨૨/૯ તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને, વિધિપૂર્વક નાં તોયે, તેઓ એ પૂજાતા મને; ૨૩/૯ કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી; પરંતુ તે પડે, કાં જે ના જાને તત્વથી મને. ૨૪/૯ દેવપૂજક દેવોને, પિતૃનાં પિતૃને મળે, ભૂત પૂજક ભૂતોને, મારા બકત મને મળે. ૨૫/૯ પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે આપે ભક્તિ થી મને ભક્તિથી એ અપાયેલું આરોગું યત્નવાન નું. ૨૬/૯ જે કરે ભોગવે વા જે, જે હોમે દાન જે કરે, આચરે તપને વા જે, કરે અર્પણ તે મને. ૨૭/૯ કર્મના બંધનો તોડીશ આમ સુખ દુખદા, સન્યાસયોગથી મને પામીશ મુક્ત થઇ. ૨૮/૯ સમ હું સર્વ ભૂતોમાં વા'લા વેરી મને નથી, પણ જે ભક્તિથી સેવે, તેમાં હું મુજ માહ્ય તે. ૨૯/૯ મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મને, સાધુ જ તે થયો માનો, કા જે નિશ્ચયમાં ઠર્યો. ૩૦/૯ શીઘ્ર એ થાય ધર્માત્મા, પામે શાસ્વત શાંતિ ને, પ્રતિજ્ઞા કરું છું મારા, ભક્તો નો નાશ ના કદી. ૩૧/૯ સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો જીવો પાપી'ય યોનીના જો આશરો લે તો તેય પામે પરમ ગતિ. ૩૨/૯ પવિત્ર બ્રાહ્મણ ક્ષત્રી ભક્તની વાત શી પછી, દુ:ખી અનિત્ય આ લોકે પામેલો ભજ તું મને. ૩૩/૯ મન-ભક્તિ મને અર્પ, મને પૂજ મને નમ, મ'ને જ પામશે આવા યોગથી મત્પરાયણ. ૩૪/૯ શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો’જ્ઞાન નો સાર’ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ |